________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર |
૪૬)
કુમારનું શરીર તો કેળના સ્તંભ જેવું કોમળ છે અને આ જિનેશ્વરી દીક્ષા ખડગની ધાર જેવી છે, કેવી રીતે તે સહન કરી શકશે? કોઈ માતાની દશા જોઈને કહેતું હતું
એક પૂત જન્મો રી માય, ઘર સૂનો કર તપકો જાય.”
ઇત્યાદિ કલ્પના પ્રમાણે બોલતા હતા. પરંતુ સ્વામીનું ધ્યાન તો વનમાં મુનિના ચરણકમળોમાં લાગેલું હતું. બધા લોકો શું બોલે છે અને શું કરે છે, તે તરફ બિલકુલ ધ્યાન નહોતું. જ્યારે સ્વામીના પ્રયાણ કરવાનો નિશ્ચય જ થઈ ગયો ત્યારે રાજાએ રત્નજડિત પાલખી મંગાવી અને સ્વામીને સ્નાન કરાવીને કેશર, ચંદનાદિ સુગંધિ પદાર્થોનું વિલેપન કર્યું, પાર્ટબરાદિ ઉત્તમોત્તમ વસ્ત્ર અને સર્વ આભષણ પહેરાવ્યા; અહા ! આ સમયે સ્વામીના શરીરની કાંતિ એવી અપૂર્વ હતી કે સૂર્ય પણ શરમાઈ જતો હતો. રાજાએ સ્વામીને પાલખીમાં બેસાડીને એક તરફ તે પોતે જોડાયા અને બીજી તરફ શેઠ જોડાયા.
આ પ્રમાણે પાલખી લઈને વનમાં ચાલ્યા. આગળ વાજા વાગતા જતા હતા. આ સમયે માતાએ જઈને આ સમાચાર તેમની વહૂઓને કહ્યા. તે સાંભળતા જ તેઓ મૂર્ણિત બની ગઈ. જ્યારે સખીઓએ શીતોપચાર કરીને તેમની મૂછ દુર કરી ત્યારે તે ચારે પોતાનું ભાન ભૂલીને પડતી આખડતી દોડી અને તે ચારેએ સ્વામીની પાલખીના ચારે પાયા પકડીને કહ્યું
“સુનો પ્રભુ ! ગુણખાન, કીનો બહુત મુલાહજી;
અબ હમ તજૈ સુપ્રાણ, જો આગે કો ચાલ હો.”
આ સાંભળીને અને તે સ્ત્રીઓની આવી દશા જોઈને સ્વામીએ પાલખી રોકી અને દયાળુ ચિત્તથી અમૃત સમાન વચનોથી તેમને સમજાવવા લાગ્યા- “હે સુંદરીઓ! વિચાર કરો, આ જગત શું છે અને કોના પિતા તથા પુત્ર છે? કોની માતા અને કોની સ્ત્રી ? આ તો બધા અનાદિ કર્મની સંતતિ છે. અનેક જન્મોમાં અનેકાનેક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com