________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦).
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર સંસારી પુરુષોથી બની શકતું નથી. એને માટે આપ જ યોગ્ય છો, ઇત્યાદિ તેના વખાણ કરીને તે કહેવા લાગી
નાથ! તે સ્ત્રી હું જ છું. આપના ચાલ્યા ગયા પછી મેં આ સ્ત્રી પર્યાયને પરાધીન જાણીને એનાથી છૂટવા માટે અહીં આર્થિકાના વ્રત લઈ લીધા છે, ઘર પાડી નખાવી તેની જગ્યાએ ચૈત્યાલય બનાવરાવ્યું છે અને જે કાંઈ દ્રવ્ય બચ્યું હતું તે આ ચેત્યાલય બનાવવામાં વાપર્યું છે હવે હે મુનિનાથ! આપ નિ:શંક થઈને તપશ્ચરણ કરો.”
આ સાંભળી મુનિ નિઃશલ્ય થઈને વનમાં ગયા અને શ્રીગુરુને નમસ્કાર કરી બધો વૃતાન્ત કહ્યો. તેથી શ્રીગુરુએ ભવદેવ મુનિની દીક્ષાનો છેદ કરી તેને ફરીથી વ્રત આપ્યા. આ પ્રમાણે તે બન્ને ભાઈમુનિઓ ઉગ્ર તપ કરતાં વિપુલાચલ પર્વત ઉપર આવ્યા અને આયુષ્યના અંતે સમાધિમરણ કરીને ત્રીજા સ્વર્ગમાં સનકુમાર દેવ થયા. ત્યાં અતુલ સંપદા જોઈને અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવની હકીકત જાણીને વિચારવા લાગ્યા કે, આ સંપત્તિ જૈનધર્મના પ્રભાવથી મળી છે, એમ જાણીને તે ધર્મમાં તત્પર રહ્યાં. અનેક દેવ, દેવાંગનાઓ સાથે અઢી દ્વીપ સંબંધી તથા સર્વ અકૃત્રિમ અને કૃત્રિમ ચૈત્યાલયોના દર્શન-વંદન કર્યા.
આ પ્રમાણે તે દેવ સ્વર્ગમાં સાગરો સુધી સુખ ભોગવી, ત્યાંથી ચ્યવી, ભાવદેવનો જીવ અપરવિદેહ પુંડરીકિણી નગરીમાં વજદંત રાજાની પટ્ટરાણીથી સાગરચંદ્ર નામનો પુત્ર થયો અને ભવદેવનો જીવ વીતશોકપુરમાં મહાપદ્મ ચક્રવર્તીને ત્યાં વનમાળા નામની રાણીના ગર્ભથી શિવકુમાર નામનો પુત્ર થયો. તે બન્ને પોતપોતાના સ્થાને મોટા થઈને અનેક પ્રકારથી વિદ્યાઓનો અભ્યાસ કરવા લાગ્યા.
એક વખત પુંડરીકિણી નગરીના ઉધાનમાં મુનિવરનું આગમન જાણીને સાગરચંદ્ર રાજપુત્ર વંદના કરવા ગયો અને શ્રીગુરુને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com