________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯) એક હતો વાંદરો.
જો કે પૂર્વ ભવમાં તો તે મનુષ્ય હતો, પણ તે વખતે તેણે આત્માની સમજણ કરી નહિ ને ઘણા માયા-કપટ કર્યા, તેથી તે મરીને વાંદરો થયો.
તે વાંદરો એક વનમાં રહેતો હતો. વાંદરાભાઈ તો વનમાં રહેને ફળફૂલ ખાય; એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. મોટી મોટી છલાંગ મારે, ને હૂક હૂક કરતાં બીવડાવે.
તે વનમાં કોઈવાર મુનિ આવે ને ઝાડ નીચે ધ્યાનમાં બેસે; મુનિને દેખીને વાંદરો બહુ રાજી થાય, ને તે ઝાડ ઉપર તોફાન કરે નહિ.
એકવાર તે વનમાં એક રાજા ને રાણી આવ્યા.
રાજાનું નામ વજજંઘ, અને રાણીનું નામ શ્રીમતી. તે રાજાના બે દીકરા મુનિ થયા હતા. તે મુનિ પણ તે વનમાં જ આવી ચડયા. રાજા-રાણીએ તો તે બંને મુનિઓને બોલાવ્યા, ને ભક્તિથી આહારદાન દીધું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com