________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૬૩ હવે અહીં કોઈ પ્રશ્ન કરે કે જેને જિનદર્શનની પ્રતિજ્ઞા હોય, અને ક્યાંક જિનદર્શન મળતા ન હોય તો તેણે શું કરવું?
તેનો ઉત્તર :- જ્યાં સુધી જિનદર્શન મળી શકે ત્યાં સુધી તો દર્શન વગર ન રહેવું. પણ એવો જ યોગ બને કે જ્યાં જિનદર્શન ન હોય, તો મનમાં જિનદર્શનની ભાવનાપૂર્વક તે દિવસે ઉપવાસ અથવા એકાશન કરે, એટલી શક્તિ ન હોય તો જિનવરદેવને યાદ કરીને, ભોજન વખતે જે વસ્તુઓ તેમાં એક વસ્તુનો ત્યાગ કરે.—એ રીતે દર્શનપ્રતિજ્ઞાનું પાલન કરે.
તાતે નરનારી સુન લેહુ, દર્શપ્રતિણા પાલહુ યેહુ; દર્શસમાન ઔર ન હોય, દર્શસમાન ન જગમેં કોય. તાતે દર્શપ્રતિજ્ઞા લેય, દર્શન બિન ભોજન ન કરે; દર્શન બિન ધિક જીવન હોય, યહુ નિશ્ચયકર જાનો સોય. દર્શનકથા પૂરણ ભઈ, “ભારમલ્લ’ પ્રગટ કર દઈ; ભૂલચૂક જો કછૂ ભી હોય, પંડિત શુદ્ધ કરો સબ કોય. મેં મતિહીન કહી અતિકાર ક્ષમિયો બુધજન લઘુ નિરધાર; પઢે સુને જન જો મન લાય, જન્મ જન્મ કે પાતક જાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com