________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : પ૩ કહીને જિનદર્શનનો સૌ ઘણો મહિમા કરવા લાગ્યા.દેખો દર્શન ફલ તુરત સાર,
તાતેં સબ સુનિયો નરનાર / જિન દર્શન પ્રતિજ્ઞા કરો સોય,
તાકો ફલ કહુત અંત ન હોય | इह विधिसो परिवार सब, मिलो तहां जो जाय । धन्य धर्म जिनराजको , वह अब भयो सहाय।।
सबै सुनो नर नार, दर्शनप्रतिज्ञा कीजिये। भवभव सुखदातार, नरभवको फल लीजिये।।
કથાકાર કવિ ભારમલ્લજી વારંવાર ભાવપૂર્વક કહે છે કે હે જીવો! તમે જિનેન્દ્રભગવાનના દર્શનને મહાન સુખકાર જાણીને અવશ્ય દર્શનપ્રતિજ્ઞા ધારણ કરો. દરેક જીવે જિનદેવના દર્શન જરૂર કરવા જોઈએ તેનું ફળ માન છે.
રત્નપુરીમાં જિનમંદિરનો પ્રતિષ્ઠા-મહોત્સવ હવે અહીં રત્નપુરમાં મનોવતીની ભાવના અનુસાર અતિશય વિશાળ ઊંચું ને સુંદર જિનમંદિર તૈયાર થઈ ગયું; એની શોભાની શી વાત? આરસનાં પગથિયાં હતાં, બિલ્લોરી પથ્થરના સ્તંભ હુતાં, કાશ્મીરી કારીગરીની સુંદર વેદી હતી, ઠેરઠેર અરીસા લાગેલા હતાં, મોતીની માળા ને તોરણો ઝૂલતાં હતાં, અનેક સ્થળે સોના-ચાંદીની નકશી હતી, મંદિર ઉપર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com