SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૫૨ : દર્શનકથા રત્નપુરીમાં પધારો, અને ત્યારે આપનું જાહેર સ્વાગત કરીને હું રાજા વગે૨ે સાથે ઓળખાણ કરાવું. જેથી આપણા કુળની ઉત્તમ આબરૂ જળવાય. બુધસેનની એ વાત સૌને ગમી,ને આનંદપૂર્વક અસવાર સહિત ધન લઈને બીજા નગર તરફ વિદાય થયા. થોડા દિવસ પછી કુંવરે અહીંથી તેમને તેડવા માટે હાથી-૨થઘોડા-પાલખી વગે૨ે અનેક સાજ મોકલ્યા; કોઈ હાથીની અંબાડી ઉપર, તો કોઈ રથમાં, કોઈ ઘોડા ઉપર, તો કોઈ પાલખીમાં, એ પ્રમાણે ધજાવાવટા ને ડંકાનિશાન સહિત ધામધૂમથી સૌ રત્નપુરીમાં આવી પહોંચ્યા. કુંવરે રાજાને ખબર મોકલ્યા કે મારા વડીલ બંધુઓ અહીં આવ્યા છે. એ સાંભળીને રાજાએ તરત નગરમાં ઢોલ પીટાવ્યો કે બધા પ્રજાજનો એમનું સામૈયું કરો. પ્રજાજનો હર્ષપૂર્વક તેમનું સામૈયું કરવા ધામધૂમથી ચાલ્યા, રાજા પણ સાથે આવ્યો. હાથી ને ઘોડા, નોબત ને વાજાં સહિત સૌ બગીચામાં આવ્યા ને ત્યાં કુંવરે બધા સ્વજનો સાથે મેળાપ કરાવ્યો. કુંવરે રાજાને પોતાના ભાઈઓની ઓળખાણ પાડી. અરસ-પરસ મિલનથી સૌને ઘણો હર્ષ થયો. ત્યાંથી ગાજતેવાજતે સવારી કાઢીને રાજા તે સૌને પોતાના મહેલમાં લાવ્યો, સૌનું સન્માન કરીને ઉત્તમ ભોજન જમાડયા, અને સૌને હાર પહેરાવ્યા. પછી કુંવરના મહેલે જઈને તેની રાણીને તથા મનોવતીને સૌ મળ્યા, એકબીજાને દેખીને સૌને હર્ષ થયો; ને આ બધો પ્રતાપ મનોવતીની દર્શનપ્રતિજ્ઞાનો છે એમ Please inform us of any errors on [email protected]
SR No.008254
Book TitleJain Vartao 06
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size676 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy