________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૯ લાગી ને આજે અમારા આવા હાલ થયા. મારી પુત્રવધૂને મસ્તકમાં તારા જેવું જ ચિહન હતું, તેથી આ ચિહ્ન દેખતાં પુત્રવધૂના સ્મરણથી મારું હૃદય ભરાઈ આવ્યું.
માતાની એ વાત સાંભળીને સુંદરીને મનમાં લાગણી ઊભરાઈ ગઈ, ને પોતાની ઓળખાણ આપ્યા વગર કહ્યું કે, શું હવે મને તમારી પુત્રવધૂ બનાવવી છે !!—એમ કહીને તેને મહેલમાંથી વિદાય કરી.
માતા ત્યાંથી પોતાના છ પુત્રો પાસે ગઈ ને મહેલમાં બનેલી બધી વાત કરી, ત્યારે પુત્રો તેનું અપમાન કરીને કહેવા લાગ્યા કે વગર વિચાર્યું તે આ શું કર્યું? તું મહેલમાં જેમ તેમ શું કહી આવી? અહીં કોણ તારો પુત્ર ને ક્યાં તારી પુત્રવધૂ? તે અહીં ક્યાંથી હોય? તે આપણી ઓળખાણ કેમ કરાવી દીધી?એમ કહીને ઠપકો આપ્યો, ને ખાવા-પીવાનું આપ્યા વગર તેને ઘરમાંથી કાઢી મૂકી. આથી તે બહુ દુઃખી થઈ.
સુંદરીએ જ્યારે આ વાત સાંભળી કે તરત જ પોતાના સ્વામીને બોલાવ્યો ને કહ્યું કે હે સ્વામી! આ મોટા ભાઈઓ અને ભાભીઓ છે તે તમારા માતા-પિતા સમાન છે. તે હજી માથા ઉપર ભાર ઉપાડ્યા કરે અને તમે આંખેથી જોઈ રહોતેમાં શું તમને લાજ નથી આવતી? હવે તેમના માથે ઘણું વીતી ગયું, માટે તેમને મહેલમાં બોલાવી લ્યો ને સાથે રાખો.
ત્યારે કુંવરે કહ્યું-એમણે અભિમાનથી મને ઘરમાંથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com