________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૫ ત્યારે કુંવરે કહ્યું-દેવી! જ્યાં મારા અશુભ કર્મનો ઉદય હોય ત્યાં કોણ સહાય કરે? નગરમાં કોઈ એમ નથી કહેતું કે અમારી પાસેથી આટલું ધન લઈને તમે વેપાર કરો. જો મારા શુભનો ઉદય હોત તો પિતાજી મને ઘરમાંથી કેમ કાઢી મૂકત? અત્યારે ઉદય એવો છે, માટે વૈર્ય રાખવું.
ત્યારે મનોવતીએ કહ્યું મેં હસ્તિનાપુરમાં જ રહેવા ઘણું કહ્યું પણ આપે માન્યું નહિ, ને ભાગ્યના ભરોસે અહીં આવ્યા; હું જાણું છું કે તમારાથી કંઈ મહેનત થઈ શકે તેવું નથી. પણ હવે આપ મનમાંથી બધી ચિન્તા છોડીને હું કહું તેમ કરો. આમ કહીને નર-માદાની જોડીનાં જે દૈવી રત્નો હતાં તેમાંથી એક રત્ન આપ્યું અને કહ્યું કે તમે રાજદરબારમાં જઈને આ રત્ન રાજાને ભેટ ધરો. આ રત્ન દૈવી છે, અને આપણી પાસે જે બે રત્ન છે તેમાં આ “નર-રત્ન' છે, ને બીજાં માદા-રત્ન આપણી પાસે રાખ્યું છે. આ રત્નોનો એવો જ સ્વભાવ છે કે મધરાતે વિખૂટાં ન રહે, મધરાત થતાં આ રત્ન ગમે ત્યાં હોય ત્યાંથી ઊડીને બીજાં રત્ન પાસે પહોંચી જાય. તમે આ નર-રત્ન લઈ જઈને રાજાને ભેટ આપો ને પછી શું બને છે તે જુઓ. રાજદરબારમાં જતાં દરવાન તમને રોકે તો તેને એક દિનાર (ચાંદીનો સિક્કો) આપજો.
કુંવરજી તો રત્ન લઈને રાજદરબાર તરફ ચાલ્યા; વચ્ચે દરવાનને દિનાર આપી, ને રાજા પાસે જઈને બહુમાનપૂર્વક અમૂલ્ય રત્ન ભેટ ધર્યું. આવું દૈવી રત્ન જોઈને રાજા બહુ પ્રસન્ન થયો ને તેનો ઘણો આદર-સત્કાર કરીને કહ્યું કે જગતમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com