________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : દર્શનકથા જિનદર્શનનો અભુત મહિમા જાણીને દરેક નરનારીએ નિત્ય જિનેન્દ્રભગવાનના દર્શન કરવા જોઈએ.
અહીં મનોવતી રોજ-રોજ આનંદપૂર્વક જિનદેવના દર્શનપૂજન કરે છે. વાચક! એ મનોવતી પૂજા કરે ત્યાં આપણે જરા હસ્તિનાપુર જઈએ ને ત્યાંના હાલ જોઈએ.
હસ્તિનાપુર નગરીમાં સવાર પડતાં શેઠનો બધો પરિવાર જાગ્યો; પણ પુત્રી-જમાઈ દેખાયા નહિ. તેના રૂમમાં જઈને તપાસ કરી તો પલંગ પર ઘરેણાં ઉતારેલા દેખ્યા, પણ પુત્રીને કે જમાઈને ન દેખ્યાં, આથી આખા પરિવારમાં કોલાહલ મચી ગયો; માતા રુદન કરવા લાગી. ત્યારે શેઠે વિચાર કરીને સૌને વૈર્ય આપતાં કહ્યું કે ચોક્કસ કોઈએ કુંવરને અપમાન લાગે તેવું કહ્યું હશે, તેથી પુત્રી સહિત તે અહીંથી ચાલ્યા ગયા છે. આપણે ચારેકોર માણસો મોકલીને તેમની શોધ કરાવશું. આ પ્રમાણે પુત્રી-જમાઈ એકાએક ચાલ્યા જવાથી પરિવારમાં ઉદાસીનતા થઈ ગઈ છે.
રત્ન ગુમ! રાજકુમારી સાથે વિવાહ હવે આપણી કથા પાછી રત્નપુર આવે છે. રત્નપુરના બગીચામાં મનોવતી પોતાના પતિને કહે છે કે હે નાથ ! ચાર દિવસથી તમે રોજ નગરીમાં જાવ છો, પણ કાંઈ ઉધમ-ધંધો કરતાં નથી, તો તેનું શું કારણ છે તે કહો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com