________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૨૭ તમારું શરીર, તમે કઈ રીતે પરદેશ ખેડી શકશો? માટે આપ અહીં હસ્તિનાપુરમાં જ રહો અને મારા પિતાજી પાસેથી ધન લઈને વેપાર કરો.
ત્યારે કુમારે કહ્યું : હે દેવી! જે જમાઈ સાસરાને ત્યાં રહે તેના કુળની શોભા નથી, તે પોતાની પ્રતિષ્ઠા ગુમાવે છે. માટે હું અહીં હસ્તિનાપુરમાં નહીં રહું, પરદેશ જઈશ. મનોવતીએ ફરીફરી ઘણી વિનંતી કરી પણ કુંવર પોતાના નિશ્ચયમાં અડગ રહ્યો. ત્યારે છેવટે મનોવતીએ કહ્યું : હે પ્રિય! મારી એક વાત સાંભળો : આપ પરદેશ જાઓ ત્યાં મને પણ સાથે લઈ જાઓ.
કુંવર-સ્ત્રીને પરદેશ લઈ જવાનું યોગ્ય નથી, માટે તું અહીં જ રહે.
મનોવતી–એ વાત બનવાની નથી; કાં તો મને સાથે લઈ જાઓ, કાં તો તમે અહીંજ રહી જાઓ.
કુંવર-દેવી! તું જરા પણ ચિન્તા કર્યા વગર થોડો વખત પિયરમાં સુખેથી રહે. હું પરદેશથી ધન કમાઈને તુરત પાછો આવીશ.
મનોવતી-સ્વામી! પતિવ્રતા સ્ત્રી હંમેશા પતિના સુખે જ સુખી હોય છે. દુઃખમાં પણ તે પતિનો સાથ છોડતી નથી. તમે પરદેશમાં અનેક કષ્ટ ભોગવો ને હું અહીં મહેલમાં સુખચેનથી પડી રહું-તો તો મારા જીવનને ધિક્કાર છે. માટે ઝાઝું શું કહેવું? મને સાથે લઈ જ જાઓ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com