________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭) : જૈનધર્મની વાર્તાઓ
* તે ત્રણે કન્યાના લગ્ન ઉપરોક્ત ત્રણ ભાઈઓ સાથે થયા હતા. એટલે યુધિષ્ઠિર અને નકુલ એ બન્ને ભાઈઓ પૂર્વભવમાં પતિ-પત્ની હતા; એ જ રીતે ભીમ અને સહદેવ એ બન્ને ભાઈઓ પૂર્વભવમાં પતિ-પત્ની હતા; તેમજ અર્જુન અને દ્રૌપદી પણ પૂર્વભવમાં પતિ-પત્ની હતા.
હવે એકવાર તે પૂર્વભવમાં તે ત્રણભાઈઓનાં આંગણે ધર્મરુચિ મુનિરાજ પધાર્યા....બધાએ આદરપૂર્વક તેમને આહારદાન કર્યું....પરંતુ તે વખતે નાગશ્રીએ (દ્રૌપદીના જીવે) મુનિરાજનો અનાદર કર્યો અને અયોગ્ય આહાર દીધો...તેથી મુનિરાજનું તો સમાધિમરણ થયું. પરંતુ આ પ્રસંગ જાણીને ત્રણે ભાઈઓને ખૂબ દુઃખ થયું: અરેરે, અમારા આંગણે જિન-મુનિરાજનો અનાદર !' – આ રીતે વૈરાગ્ય પામી તે ત્રણે ભાઈઓએ જિનદીક્ષા લઈ લીધી ને આત્મસાધના કરીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી નીકળીને અહીં યુધિષ્ઠિર – ભીમ – અન તરીકે તમે અવતર્યા છો. તે ત્રણે ભાઈઓની ત્રણ પત્નીમાંથી નાગશ્રી સિવાયની બન્ને પત્નીઓએ પણ આર્થિકાવ્રત ધારણ કર્યા અને આત્મસાધનાપૂર્વક સ્વર્ગમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com