________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ : જૈનધર્મની વાર્તાઓ કરી શકતો નથી, તથા ધર્મ તરફ તેને રુચિ જાગતી નથી. માટે મોક્ષ-સુખને ચાહુનારા ભવ્ય જીવોએ મિથ્યાત્વ અને સમસ્ત વિષય-કષાયોને છોડીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મનો ઉદ્યમ કરવો જોઇએ.'
એ પ્રમાણે વૈરાગ્યપૂર્વક વિચાર કરતાં-કરતાં તે પાંડવો દ્વારિકાથી પ્રસ્થાન કરીને પલ્લવદેશમાં આવ્યા ને ત્યાં બિરાજમાન શ્રી નેમિનાથતીર્થકરના દર્શન કર્યા તેમના કેવળજ્ઞાનની સ્તુતિ કરી; ને ધર્મની પિપાસાપૂર્વક તેમનો ઉપદેશ સાંભળ્યો.
પ્રભુની દિવ્યવાણીમાં ચિદાનંદ તત્ત્વની સ્વાનુભૂતિનો તેમજ મોક્ષસુખનો અપૂર્વ મહિમા સાંભળીને તે પાંડવોનું ચિત્ત શાંત થયું. તેમને આત્મશુદ્ધિની વૃદ્ધિ થઈ. સંસારથી તેમનું ચિત્ત વિરક્ત થયું ને મોક્ષને સાધવા તેઓ ઉત્સુક થયા. તેઓ વિચારવા લાગ્યા - અરે, નેમિનાથ પ્રભુ જેવા તીર્થકરનો સાક્ષાત સુયોગ હોવા છતાં અત્યાર સુધી અમે અસંયમમાં રહ્યા ને તુચ્છ રાજ્યભોગો માટે મોટી લડાઈઓ કરી કરીને જીવન ગુમાવ્યું. અરે, શ્રીકૃષ્ણ જેવા ચક્રવતી રાજાનું રાજ પણ જ્યાં સ્થિર ન રહ્યું, દ્વારકાનગરી જોત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com