________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૫૬ : જૈનધર્મની વાર્તાઓ
મૂળમાંથી મટાડે છે. હૈ જિનશાસનના વેત્તા! તમે આ મોટા ઝાડની શીતળ છાયામાં આરામ કરો, ત્યાં હું શીઘ્ર પાણી લાવું છું. તમારા ચિત્તને શીતલ કરીને, શાંતભાવરૂપ નિજભવનમાં જિનેશ્વરને સ્થાપો. –આ પ્રમાણે મોટાભાઈ નાનાભાઈને ભલામણ કરીને પોતે તેના માટે પાણી શોધવા ગયા. કૃષ્ણના દુઃખથી તેનું ચિત્ત દુ:ખી છે, તે પોતાના ખેદને ભૂલી ગયા છે...એક કૃષ્ણની જ ચિંતા છે...તેને માટે પાણી લેવા ઘણે દૂર દૂર નીકળી ગયા. રસ્તામાં અનેક અપશુકન થયા પણ તે તેમણે ગણકાર્યા નહિ.
આ બાજુ શ્રીકૃષ્ણ પોતાના મનમાં જિનેશ્વરનું સ્મરણ કરીને, ઝાડની છાયામાં પીતાંબર ઓઢીને સૂઈ ગયા... થાકયા-પાકયા એક પગ ઉપર બીજો પગ ઊંચો રાખીને સૂતા હતા... દૈવયોગથી તેમનો ભાઈ જરતકુમાર પણ ત્યાં આવી ચડયો; તે પાપી વનમાં એકલો રખડતો હતો ને શિકાર કરતો હતો. નેમપ્રભુના વચનની શ્રદ્ધા વગરનો તે જીવ, ભાઈ પ્રત્યેના અતિ સ્નેહને લીધે તેની રક્ષા અર્થે દ્વારકાથી દૂર દૂર ચાલ્યો જઈને વનમાં ફરતો હતો. પણ પ્રભુએ દેખેલું ભવિતવ્ય કોણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com