________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૭] રત્નદ્વીપનો રહેવાસી
રત્નદ્વીપનો રહેવાસી એક માણસ બીજા દ્વિીપમાં આવ્યો. તેને રત્નદ્વીપના નીલમણિની રજા ચોંટી હતી. તે સરોવરમાં નહાતો હતો ત્યારે તેના તે નીલમણિના પ્રકાશથી સરોવરનું પાણી લીલા પ્રકાશથી ઝગઝગાટ કરતું હતું.. તે જોઈને તેને અચંબો થયો કે વાહ! આ પાણીમાં આવો સુંદર ઝગઝગાટ કયાંથી આવ્યો! (પોતાના પ્રકાશથી પોતે જ અચંબો પામ્યો!)
એવામાં એક ઝવેરી ત્યાં આવ્યો... તે નીલમણિને ઓળખી ગયો. તેણે કહ્યું-અરે ભાઈ ! તારા શરીરે જે નીલમણિની રજ ચોંટી છેઃ તે ઘણી કિંમતી છે, ને તેના પ્રકાશને લીધે આ સરોવરનું પાણી કેવું મજાનું શોભી રહ્યું છે !! તારા આ નીલરત્ન પાસે રાજાના નિધાન પણ તૂચ્છ છે.
ત્યારે તે માણસ આશ્ચર્ય પામ્યોઃ અરે, આવા રત્નોથી ભરેલા દ્વીપ વચ્ચે તો હું રહું છું. મારે હવે દીનતા કેવી !! અત્યાર સુધી રત્નો વચ્ચે રહીને પણ મેં રત્નોને ઓળખ્યા નહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com