________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૦ ] હરિવંશપુરાણના વૈરાગ્યપ્રસંગો આત્મસાધક વી૨ ગજકુમા૨
દેવકી માતાના આઠમા પુત્ર ગજકુમાર; તે શ્રીકૃષ્ણના નાના ભાઈ; તેઓ નેમપ્રભુના પિતરાઈ ભાઈ થાય. તેમનું રૂપ અત્યંત સુંદર હતું... લોકો તેને જોઈને મુગ્ધ થઈ જતા. નેમનાથપ્રભુ દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી તીર્થંકરપણે વિચરતા હતા, તે વખતની વાત છે.
શ્રી કૃષ્ણમહારાજાએ અનેક રાજકન્યાઓ સાથે તેમ જ સોમિલ શેઠની પુત્રી સોમા સાથે ગજકુમારના વિવાહની તૈયારી કરી હતી... એવામાં વિહાર કરતાં-કરતાં શ્રી નેમિનાથ તીર્થંકર દ્વારિકાનગરે પધાર્યા. જિનરાજ પધારતાં સા દર્શનાર્થે ચાલ્યા. નેમપ્રભુને જોતાં જ ગજકુમા૨ને ઉત્તમ ભાવો જાગ્યાઃ- અહો! આ તો મારા ભાઈ! ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ મને મોક્ષમાં તેડી જવા પધાર્યા છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com