________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૭ રોકી લીધો હતો. જેમ ભયભીત કાચબો પોતાના સર્વાગને પોતામાં જ સંકોચી લે છે તેમ સંસારથી ભયભીત અને અસ્પર્શ-યોગમાં અનુરક્ત એવા તે વરાંગ મુનિરાજે પોતાનો ઉપયોગ સમસ્ત ઇન્દ્રિયોથી સંકોચીને પોતામાં જ અંતર્લીન કર્યો હતો. તેમનો ઉપયોગ પોતામાં જ લીન હોવાથી તેમને આ જગત સંબંધી કોઈ ભય ન હતો. બહારમાં ઉપસર્ગ કે પરીષહું આવે તો પણ તેના તરફ લક્ષ જતું ન હતું. તેઓ સદાય બાર વૈરાગ્યભાવનાનું ચિંતન કરતા હતા. તેઓ રાજ્યાવસ્થામાં જેમ શત્રુસેનાને જીતતા, તેમ હવે મુનિદશામાં મોહનાને જીતવા માંડી. એ રીતે વારંવાર શુદ્ધોપયોગના પ્રહાર વડ ક્રોધાદિ મોહનાનો પરાભવ કર્યો.
મુનિરાજ વરાંગનું જ્યારે એકમાસ આયુ બાકી રહ્યું ત્યારે પોતાની દીક્ષાભૂમિ મણિકાન્ત પર્વત પર આવીને તેમણે સંથારો ધારણ કર્યો...પોતાના ગુરુ (વરદત્તપ્રભુ) ની તે નિર્વાણભૂમિ હતી. ભગવાન નેમિનાથ તીર્થકરનું પણ મોક્ષગમન થઈ ચૂકયું હતું. તેમને હૃદયમાં બિરાજમાન કરીને, ચાર આરાધનામાં ચિત્તને અખંડપણે જોયું,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com