________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : જૈનધર્મની વાર્તાઓ પાછળ તેઓ પણ આર્થિકા-દીક્ષા લેવા માટે વન તરફ ચાલી.
જ્યારે મહારાજા ધર્મસેને પુત્ર વરાંગને ઘણા સ્નેહપૂર્વક દીક્ષા લેતાં રોકવા પ્રયત્ન કર્યો અને મુનિદશામાં અનેક ઉપસર્ગ-પરીષહુ વર્ણવીને ચારિત્રપાલનની કઠિનતા બતાવી, ત્યારે વરાંગે વિનયપૂર્વક છતાં દઢતાથી કહ્યું: પિતાજી ! મુનિપણાની કઠિનતા આપે બતાવી, વિષયોના લાલચુ કાયરોને માટે તે કઠિન હશે પણ મોક્ષસાધક સિવૃત્તિવાળા જીવોને માટે તે કઠિન નથી, તેને તો મુનિદશા અને ચારિત્રપાલન સહજ આનંદરૂપ છે; યૌવનપણું મને ભોગોમાં લલચાવી શકે તેમ નથી. વળી હું પિતાજી! ચારિત્રદશા યુવાનીમાં પણ જે કઠણ છે તો પછી વૃદ્ધાવસ્થામાં તો તેનું પાલન કેમ થશે! માટે હું તો અત્યારે જ આત્મકલ્યાણ માટે ચારિત્રદશા અંગીકાર કરીશ. ગૃહસ્થપણાની જેલનાં બંધનને તોડીને સ્વતંત્રપણે હવે હું વનજંગલમાં મુનિમાર્ગે વિચરીશ. આપ મને રોકવાની વ્યર્થ ચેષ્ટા કરશો નહિ.
જ્યારે હું વૈરાગ્યના સુવર્ણપાત્રમાં દીક્ષારૂપી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com