________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : જૈનધર્મની વાર્તાઓ
(૨) હવે તે ઉદિત અને મુદિત (દેશભૂષણ અને કુલભૂષણ) બન્ને ભાઈઓના જીવો સ્વર્ગમાંથી નીકળીને એક રાજાને ત્યાં રત્નરથ અને વિચિત્રરથ નામના કુમારો થયા. અને ભીલનો જીવ પણ જ્યોતિષીદેવમાંથી નીકળીને આ બન્નેનો ભાઈ થયો. જાઓ તો ખરા, કર્મની વિચિત્રતા! પૂર્વનો વેરી અત્યારે ભાઈ થયો! કોને કહેવો વેરી ને કોને કહેવો ભાઈ! અત્યારે પણ પૂર્વના વેરસંસ્કારથી તે આ બન્ને ભાઈઓ પ્રત્યે વેર રાખવા લાગ્યો. આથી બન્ને ભાઈઓએ તેને દેશમાંથી કાઢી મૂક્યો. તે દંભી-તાપસ થઈને વિષયાંધપણે મર્યો ને અનેક ભવમાં રખડતો રખડતો પાછો જ્યોતિષીદેવ થયો. તેનું નામ અગ્નિપ્રભ.
આ બાજુ રત્નરથ અને વિચિત્રરથ એ બન્ને ભાઈઓ વૈરાગ્ય પામી રાજપાટ છોડી મુનિ થયા. ને સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયા.
(૩) ત્યાંથી નીકળીને તે બન્ને જીવો સિદ્ધાર્થ-નગરીના રાજાને ત્યાં દેશભૂષણ અને કુલભૂષણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com