________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૫ હણનાર કોઈ છે નહિ. એમ કહીને તે મુનિ પોતાની આત્મશાંતિમાં એકાગ્ર થયા.
-આમ પરમ વૈર્યપૂર્વક બન્ને મુનિઓ દેહનું મમત્વ છોડી, પરમ વૈરાગ્યથી આત્મભાવના ભાવવા લાગ્યા. ને ભીલે તેમને મારવા શસ્ત્ર ઊગામ્યું. –બરાબર એ જ વખતે વનનો રાજા ત્યાં આવી પહોંચ્યો, ને તેણે ભીલને ત્યાંથી ભગાડીને બન્ને મુનિવરોની રક્ષા કરી.
(તે વનનો રાજા પૂર્વભવમાં એક પંખી હતો, ત્યારે શિકારીની જાળમાંથી આ બન્ને ભાઈઓએ તેને બચાવેલ; તે ઉપકારના સંસ્કારને લીધે અત્યારે તેને સબુદ્ધિ ઊપજી, ને તેણે મુનિઓનો ઉપસર્ગ દૂર કરીને રક્ષા કરી.).
ઉપસર્ગ દૂર થતાં બન્ને મુનિવરોએ સમ્મદશિખરની યાત્રા કરી, ને પછી રત્નત્રયની આરાધનાપૂર્વક સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયા.
દુષ્ટ ભીલનો જીવ દુર્ગતિમાં ગયો; ને દુ:ખી થયો. ત્યારબાદ કુતપ કરીને તે જ્યોતિષી દેવ થયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com