________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૯ પરણીશ. –આમ મનમાં ને મનમાં તેઓ એક-બીજાને મારી નાખીને પણ રાજકન્યાને પરણવાનું વિચારતા હતા; બન્નેનું ચિત્ત એક જ રાજકુમારીમાં એકદમ આસક્ત હતું. તેથી એકબીજાને કહેવા લાગ્યા કે “આ રાજકુમારીને હું પરણીશ, તું નહીં.” આમ હું.. તું કરતાં બન્ને ભાઈઓ હાથી ઉપર બેઠાબેઠા વાદવિવાદ કરવા લાગ્યા. કન્યાના મોહવશ બન્ને ભાઈઓ એકબીજા પ્રત્યેના પરમ પ્રેમને ભૂલી ગયા ને દ્વેષથી વર્તવા લાગ્યા; કન્યા ખાતર એકબીજા સામે લડવા ને મારવા તૈયાર થયા.
[ અરે વિષયાસક્તિ! ભાઈ-ભાઈના સ્નેહને પણ તોડાવી નાખે છે! અરેરે! ચાર-ચાર ભવથી પરમ સ્નેહ રાખનારા બન્ને ભાઈઓ અત્યારે વિષયવશ એકબીજાને મારવા પણ તૈયાર થયા!]
એવામાં તો, અમુક શબ્દો કાને પડતાં બન્ને ભાઈઓ ચોંકી ઊઠયા. જાણે વીજળી પડી હોય એમ બન્ને સ્તબ્ધ થઈ ગયા... શું બન્યું!
તેમની સાથેના બુદ્ધિમાન મંત્રીએ, બન્ને રાજકુમારોને લડાઈ કરવાની તૈયારી કરતા દેખ્યા;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com