________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ : જૈનધર્મની વાર્તાઓ
જેમ પીંજરમાં પૂરાયેલો સિંહ ખેદખિન્ન રહે ને વનમાં જવા ઈચ્છે, તેમ વૈરાગી ભરત ગૃહવાસના પીંજરાથી છૂટીને વનવાસી મુનિ થવા ઈચ્છતા હતા. પણ રામ-લક્ષ્મણે આગ્રહું કરીને તેને રોક્યા હતા. તેણે ઉદાસચિત્તે થોડા દિવસ તો ઘરમાં વીતાવ્યા; પણ હવે તો રત્નત્રય-જહાજમાં બેસીને સંસારસમુદ્રને તરવા તે તૈયાર થયા હતા.
એકવાર તે ભરત સરોવરકિનારે ગયેલ; તે વખતે ગજશાળામાં શું બન્યું તે સાંભળો! ગજશાળામાં બાંધેલ ત્રિલોકમંડન હાથી મનુષ્યોની ભીડ દેખીને એકાએક ગર્જવા લાગ્યો ને સાંકળ તોડીને ભયંકર અવાજ કરતો ભાગ્યો. હાથીની ગર્જના સાંભળીને અયોધ્યાના લોકો ભયભીત થઈ ગયા. હાથી તો દોડ્યો જાય છે; રામલક્ષ્મણ તેને પકડવા પાછળ દોડે છે. દોડતો દોડતો તે હાથી, સરોવર-કિનારે જ્યાં ભરત પૂજા કરતો હતો ત્યાં આવ્યો. લોકો ચિંતામાં પડયા-હાય ! હાય ! હવે શું થશે ! રાણીઓ અને પ્રજાજનો રક્ષણ માટે ભારતના શરણે આવ્યા. તેની મા કૈકેયી પણ ભયથી હાહાકાર કરવા લાગી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com