________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૭ હે સ્વામી! અમારું ચિત્ત સંસારથી અતિ ભયભીત છે; આપના દર્શનથી અમારું મન પવિત્ર થયું છે ને હવે અમે ભવસાગરને પાર કરનારી એવી ભાગવતી દીક્ષા અંગીકાર કરીને આ સંસારના કીચડમાંથી બહાર નીકળવા ઈચ્છીએ છીએ; માટે હે પ્રભો! અમને દીક્ષા આપો !
જેઓ ચૈતન્યસાધનામાં મગ્ન છે અને હમણાં જ સામેથી છઠ્ઠી ગુણસ્થાને આવ્યા છે-એવા તે મુનિરાજે રાજકુમારોની ઉત્તમ ભાવના જાણીને કહ્યું: હે ભવ્યો !
લ્યો, આ મોક્ષના કારણરૂપ ભગવતી જિનદીક્ષા! તમે બધા અત્યંત નીકટ ભવ્ય છો કે તમને મુનિવ્રતની ભાવના જાગી. -આમ કહીને આચાર્યદવે વજબાહુ સહિત ર૬ રાજકુમારોને મુનિદીક્ષા આપી; રાજકુમારોએ કોમળ કેશનો સ્વહસ્તે લોચ કરીને પંચમહાવ્રત ધારણ કર્યા. રાજપુત્રી અને રાગપરિણતિ બન્નેનો ત્યાગ કર્યો; દેહનો સ્નેહું છોડીને ચૈતન્યધામમાં સ્થિર થયા, ને શુદ્ધોપયોગી થઈને આત્મચિંતનમાં એકાગ્ર થયા. ધન્ય તે મુનિવરો !
બીજી બાજુ મનોવતીએ પણ પતિનો, ભાઈનો તેમ જ સંસારનો મોહ છોડીને સર્વે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com