________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૩ શી વાત ! આ સંસાર, શરીર ને ભોગો-બધું ક્ષણભંગુર છે. વીજળીના ઝબકારા જેવું જીવન, તેમાં આત્મહિત ના કર્યું તો આ અવસર ચાલ્યો જશે. વિવેકી પુરુષોએ સ્વપ્ના જેવા આ સંસાર-સુખોમાં મોહિત થવું યોગ્ય નથી. મિત્ર! તમારી મશ્કરી પણ મને તો કલ્યાણનું જ કારણ થઈ છે. હસતાં-હસતાં પણ ઉત્તમ ઔષધિ પીવાથી શું તે રોગને નથી હુરતી? હુરે જ છે; તેમ હસતાં-હસતાં પણ તમે મુનિદશાની વાત કરી તો તે મુનિદશા ભવરોગને હરનારી ને આત્મકલ્યાણ કરનારી છે; માટે હું જરૂર મુનિદશા અંગીકાર કરીશ. તમારી જેવી ઈચ્છા હોય તેમ તમે કરો.
ઉદયસુંદર સમજી ગયો કે હવે વજબાહુકુમારને રોકવાનું મુશ્કેલ છે. હવે તે દીક્ષા જ લેશે. છતાં મનોદયાના પ્રેમને લીધે કદાચ તે રોકાય, –એમ ધારીને તેણે છેલ્લી દલીલ કરી: હે કુમાર! આ મનોદયા ખાતર પણ તમે રોકાઈ જાઓ. તમારા વગર મારી બહેન અનાથ થઈ જશે. માટે તેના પર કૃપા કરીને આપ રોકાઈ જાઓ, હમણાં દીક્ષા ન લ્યો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com