________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : જૈનધર્મની વાર્તાઓ છે, કે તેના મરણના સમાચાર તે સહન નહીં કરી શકે, તેમાંય આ તો એકસાથે ૬૦ હજાર પુત્રોનું મરણ! ! રાજા પાસે આવા સમાચાર કહેવાની કોઈની હિંમત ચાલી નહીં.
ત્યારે, મણિકતુ દેવ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને સગર-ચક્રવર્તી પાસે આવ્યો, અને અત્યંત શોકપૂર્વક કહ્યું કે હે મહારાજ! મારો એકનો એક યુવાન પુત્ર મરી ગયો છે, યમરાજ તેને હરી ગયો છે; આપ તો સમસ્ત લોકના પાલક છો, માટે મારા પુત્રને પાછો લાવી આપો, તેને જીવતો કરી દો; જો મારા એકના એક પુત્રને તમે જીવતો નહીં કરી દો તો મારું પણ મૃત્યુ જ થશે.
બ્રાહ્મણની વાત સાંભળીને રાજાએ કહ્યું-અરે બ્રાહ્મણ ! શું તું એ નથી જાણતો કે મૃત્યુ તો સંસારના બધા જીવોને મારે જ છે; એક માત્ર સિદ્ધ ભગવાન જ મરણ રહિત છે, બીજા તો બધા જીવો મરણસહિત છે. – વળી આ વાત સૌ કોઈ જાણે છે કે જેનું આયુષ્ય ખલાસ થઈ ગયું તેને કોઈ પણ રીતે જીવાડી શકાતા નથી. બધા જીવો પોતપોતાના આયુષ્ય પ્રમાણે જ જીવે છે. આયુષ પૂરું થતાં તેનું મરણ થાય જ છે. માટે મરણરૂપ યમરાજને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com