________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૯
જિનબિંબ અમે કદી જોયા ન હતા. અમને આવા ભગવાનના દર્શન થયા અને સેવા કરવાનું મહા ભાગ્ય મળ્યું ' –એમ પરમ આનંદિત થઈને તે ૬૦ હજાર રાજપુત્રો ભક્તિપૂર્વક પોતાને સોંપેલું કાર્ય કરવા લાગ્યા.
આ તરફ ચક્રવર્તીનો મિત્ર મણિકેતુ દેવ ફરીને રાજાને સમજાવવા માટે આવ્યો. આ વખતે તેણે નવો જ ઉપાય વિચાર્યો. કેટલાક વચનો હિતરૂપ તેમજ મીઠાં હોય છે, કેટલાક વચનો હિતરૂપ પણ કડવા હોય છે; તેમજ અહિત વચનોમાં પણ કેટલાક મીઠાં ને કેટલાક કડવા હોય છે. તે અતિવચનો તો છોડવા જેવા છે. રાજાને અત્યારે હિતરૂપ પણ કડવા વચનોથી સમજાવી શકાશેએમ વિચારીને મણિકેતુ દેવે રાજાના હિત માટે એક યુક્તિ કરી.
તેણે એક મોટા ઝેરી નાગનું રૂપ લીધું, અને કૈલાસપર્વત પર જઈને તે બધા રાજકુમારોને કરડીને તેમને બેભાન કરી દીધા, અને જાણે કે તે મરી ગયા હોય એવો દેખાવ કર્યો. એકસાથે ૬૦, ૦૦૦ રાજકુમારોનું મરણ દેખીને રાજમંત્રીઓ પણ એકદમ ગભરાયા;-તે રાજમંત્રીઓ જાણતા હતા કે મહારાજાને પુત્રો ઉપર એટલો બધો પ્રેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com