________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ : જૈન ધર્મની વાર્તાઓ
જેવા બાહ્ય વિષયોમાંથી સુખ લેવા માગે છે ને તે વિષયો તરફ ઝાવાં નાંખી-નાખીને દુ:ખી થાય છે.
ત્યારે કોઈ જ્ઞાની તેને સમજાવે છે કેઃ અરે જીવ! સુખ તો તારા આત્મામાં છે; પડછાયા જેવા શરીરમાં કે વિષયોમાં સુખ નથી, માટે તું બહારમાં સુખ ન શોધ. બાહ્ય વિષયો પ્રત્યે તું ગમે તેટલા વલખાં માર, તેમાંથી તને કદી સુખ મળવાનું નથી. આ રીતે આ ચિત્ર ભેદજ્ઞાન કરાવીને સુખનો સાચો રસ્તો બતાવે છે.
તાત્કાલિક દવા
શરીરમાં અચાનક ગંભીર રોગ આવી પડે ત્યારે તાત્કાલિક ઉપાય શું?
શરીરથી ભિન્ન ચૈતન્યની ભાવનામાં ઉપયોગ લગાવી દેવો-તે જ તાત્કાલિક ઉપાય છે. એ ઉપાયથી જ રોગની પીડાનું લક્ષ છૂટીને ચૈતન્યની શાંતિ વેદાય છે. આ ઉપાય અમોઘ છે, એટલે જરૂર લાગુ પડે જ; વળી સ્વાધીન છે એટલે બહારના વૈદ કે ડોકટરની રાહ ન જોવી પડે. આ ઉપાય સર્વ રોગનાં દુઃખ મટાડનારો છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com