________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર : જૈન ધર્મની વાર્તાઓ
ધર્માત્માની અમૃત જેવી મધુરવાણી સાંભળતાં ધનદત્તનું મન શાંત થઈ ગયું, ને પ્રસન્નતાથી તેના ચિત્તમાં દયા પ્રગટી. તેથી તેણે રાત્રિભોજન છોડીને અહિંસાદિ અણુવ્રત ધારણ કર્યા; અલ્પશક્તિને લીધે તે મહાવ્રત ધારણ કરી ન શક્યો. અણુવ્રત સહિત દેહ છોડીને તે સ્વર્ગના દેવ થયો.
બંધુઓ, આ ધનદત્તનો જીવ એ જ પછી આગળ જતાં આપણા ભગવાન રામચંદ્રજી થયા. તેમની આ વાર્તા ઉપરથી તમે પણ રાત્રિભોજનનું પાપ છોડો ને આત્મહિતનો ઉદ્યમ કરો.
[ જૈનરામાયણઃ પદ્મપુરાણમાંથી]
મોરપીંછી અને મોક્ષ એક મુમુક્ષુઃ પીંછી લીધા વગર મોક્ષ થવાનો નથી. બીજો મુમુક્ષુ: હા, અને પછી છોડ્યા વગર પણ મોક્ષ થવાનો
નથી. [ માટે પીંછી મોક્ષનું કારણ નથી; મોક્ષનું કારણ બીજું જ છે, તેને તું આત્મામાં શોધ.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com