________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૮]
એક હતા પંડિતજી (કાશીના પંડિતજી વાસણ ખરીદવા ગયા ત્યારે બનેલો બનાવ)
એક હતા પંડિત. કાશીમાં રહે. જૈન સિદ્ધાંતના ભારે અભ્યાસી. ૬૦ વર્ષ પહેલાંની વાત છે. એકવાર મુંબઈમાં તેઓ પૂજા માટેના સ્ટીલના વાસણ લેવા ગયેલા. સ્ટીલના વાસણના એક સેટની કિંમત તે જમાનામાં સાડા અગિયાર આના થઈ. કરકસર માટે પંડિતજીએ દુકાનદારને કહ્યું કે ભાઈ, બે પૈસા ઓછા લ્યો એટલે કે અગિયાર આના લ્યો.
દુકાનદાર કહે અરે પંડિતજી! તમે ભગવાનની પૂજા માટે આ વાસણ લઈ જાવ છો એટલે ભગવાન તો તમને ઘણા પૈસા આપશે! પછી બે પૈસાનો લોભ શું કરો છો?
પંડિતજી પણ ખરા હતા. એ તો કાંઈ બોલ્યાચાલ્યા વગર, કે પૈસા આપ્યા વગર, એમને એમ વાસણ થેલીમાં નાખીને માંડયા હાલવા !
દુકાનદાર તો આભો થઈ ગયો.. ને સાદ કર્યો કે અરે પંડિતજી! પૈસા તો આપતા જાવ.
પંડિતજી કહે-ભાઈ, આ વાસણ તો હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com