________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૬૧ આમ ગુણ-પર્યાયને ધારણ કરનાર દ્રવ્ય છે. અસંખ્ય અરૂપી ચૈતન્યપ્રદેશ તે તેનું ક્ષેત્ર છે. વર્તમાન જે પર્યાયમાં વર્તે છે તે તેનો કાળ છે. જ્ઞાનાદિ જે અનંતગુણો તે આત્માનો ભાવ છે.
આ રીતે “સોનાના ભાવ”ના દષ્ટાંતે ગુરુદેવે આત્માના ભાવ સમજાવ્યા હતા.
ઘણીવાર લોકો કહે છે કે અમારો કોઈ ભાવ પૂછતું નથી! પણ ભાઈ ! તે પોતે કદી તારો “ભાવ” પૂછયો છે? તારો પોતાનો “ભાવ” શું છે તેની તને ખબર છે? હજી તને જ પોતાના ભાવની ખબર નથી - પહેલાં તું તો તારા “ભાવ” ને જાણ. બીજા ભલે પૂછે કે ન પૂછે, પણ તારો ભાવ તો તારામાં છે. અનંતજ્ઞાનદર્શન આનંદના ભાવો તારામાં ભર્યા છે.–તેનો અપાર મહિમા છે. જડભાવથી જુદો ને રાગભાવથી પણ જુદો, પરમ આનંદથી ભરેલો તારો ચૈતન્યભાવ છે. –એ જ તારો સાચો ભાવ છે.
પુણ્યવડે શુભરાગવડે તું આત્મા લેવા માંગીશ તો તે ખોટો ભાવ છે, આત્માનો તે સાચો ભાવ નથી.
જ્ઞાનરૂપભાવ તે જ આત્માનો સાચો ભાવ છે; તે ભાવ દ્વારા આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે.
આવા તારા આત્મભાવને તું જાણ!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com