________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
[ ૧૬ ] ક્રોધથી તારું ઘર સળગે છે
જીવ ક્રોધથી અંધ બનીને પોતે પોતાને કેવું નુકસાન કરે છે તેનું એક સ્થૂળ દષ્ટાન્ત:- બે માણસોને એકબીજા સાથે દુશ્મનાવટ થઈ; બન્નેનું ઘર બાજુબાજુમાં જ હતું. એકે ક્રોધથી વિચાર્યું કે હું સામાનું ઘર બાળી નાખું, એટલે સામાના ઘરમાં અગ્નિ ફેંકીને તે ભાગ્યો.
પણ સામો માણસ તે દેખી ગયો; પોતાનું ઘર બળતું હોવા છતાં ક્રોધથી તેણે વિચાર્યું કે જો ઘર ઠારવા રોકાઈશ, તો આ શત્રુ ભાગી જશે માટે તેને પકડું. એમ વિચારી તેને પકડવા તેની પાછળ ગયો;
અને પછી પાછો આવીને જુએ છે તો પોતાના ઘરનું નામનિશાન ન મળે... આગમાં બધુંય ભસ્મીભૂત ! તે દેખીને તેને પસ્તાવો થયો કે અરેરે! શત્રુ ઉપર ક્રોધ કરવા કરતાં મેં પોતે મારા ઘરની આગ ઠારી હોત તો મારું ઘર ન બળત.
તેમ જીવને કાંઈક પ્રતિકૂળતાનો પ્રસંગ આવતાં સામા ઉપ૨ તે ક્રોધ કરે છે, એ ક્રોધ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com