________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૩૧
ગુરુદેવ ઘણીવાર કહેતા કે જ્યાં બીજા બધા પ્રકારે નિરુપાયતા હોય ત્યાં પણ ‘સહનશીલતા ' તે અમોઘ ઉપાય છે. સાચી સહનશીલતા રાગ-દ્વેષ વગરની હોવી જોઈએ, એટલે તે સહનશીલતાને આપણે વીતરાગીસમભાવ પણ કહી શકીએ. જિનવાણીએ આપણને વીતરાગતાના મંત્રો આપ્યા છે.
વીતરાગભાવ-રસિક
સાધર્મીઓ ! સંસારમાંગૃહવાસમાં ડગલે ને પગલે ઊભા થતા વિખવાદના પ્રસંગોની વચમાં અશાંતિના ઘોર દુ:ખમાંથી છૂટવા માટે તમે આ ‘સહનશીલતા ' મંત્રનો પ્રયોગ કરી જુઓ... તે જરૂર સફળ થશે; તમારી શક્તિ રાગ-દ્વેષમાં વેડફાતી અટકી જશે, ને સર્વ શક્તિ આત્મહિત સાધવામાં કેન્દ્રિત થઈ જશે, એટલે શીઘ્ર જ આત્મહિત સાધીને તમે મહાન શાંતિની અનુભૂતિ કરશો. બસ, બીજું શું જોઈએ !
“સ હુ ન શી લ તા”
[સાતમી વાર્તા પૂરી ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com