________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૨૭ ને રમતમાં તમે મનુષ્યભવરૂપી રત્નને સંસારના દરિયામાં ફેંકી દીધું એક પછી એક-એમ અનંતા મનુષ્યભવને દરિયામાં ફેંકી દીધા.... ને વ્યર્થ ગુમાવ્યા; છતાં હજી આ અમૂલ્ય મનુષ્યભવ તમારા હાથમાં છે, ને તમે તે વિષય-કષાયમાં ફેંકી દેવા તૈયાર થયા છો.
જ્ઞાની સંતો તમને સાદ પાડીને કહે છે કે સબુર! સબુર! આ મનુષ્યભવને વિષય-કષાયોમાં ફેંકી ન દેશો. આ મનુષ્ય-અવતાર કાંઈ વિષય-કપાયો માટે નથી, આ મનુષ્ય-અવતાર તો આત્માનું અપૂર્વ કલ્યાણ કરવા માટે ચિંતામણિ રત્ન સમાન છે; તમારું હિત કરવાનો અવસર હુજી તમારા હાથમાં છે, -જો જો ફેંકી ન દેશો!
જૈનધર્મના સત્ય દેવ-ગુરુ ઉપર જેને વિશ્વાસ છે. અને જેને મુમુક્ષુપણાનો કંઈક પ્રકાશ જાગ્યો છે એવો જિજ્ઞાસુ જીવ, જ્યાં પોતાના જીવનનો (અનંતભવનો ) વિચાર કરે છે ત્યાં તે આભો બની જાય છે કે અરે ! કેટલા બધા ભવ મેં નકામાં ફેંકી દીધા? આ મનુષ્ય અવતારમાં આવા મજાના દેવ-ગુરુ-ધર્મ મને મળ્યા છે-તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com