________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ : જૈન ધર્મની વાર્તાઓ
ત્યારે સજ્જને તેને કહ્યું: ભાઈ! તું મૂંઝા મા! તું બધું નથી હારી બેઠો. હુજી પણ એક રત્ન તારા હાથમાં છે. તે રત્ન પણ એવું કિંમતી છે કે જો તું તેની કિંમત સમજીને બરાબર સદુપયોગ કર તો આખી જીંદગી તને સુખ-સંપત્તિ મળી રહેશે; આ એક રત્નથી પણ તારું કાર્ય સરી જશે. માટે જે રત્નો ગયાં તેનો અફસોસ છોડીને, હુજી જે રત્ન હાથમાં છે તેનો સદુપયોગ કરી લે. “જાગ્યા ત્યાંથી સવાર.' [ તે માણસે હાથમાં બચેલાં એક રત્નનો સદુપયોગ કર્યો ને તે સુખી થયો.).
વીરબંધુઓ ! આ વાત કોની છે–ખબર છે? બીજા કોઈની નહિ પણ તમારા પોતાના જીવનની જ આ વાત
હું!' જી. હા! સાંભળો
તમે આ સંસારસમુદ્રના કિનારે બેઠા છો. હજી જ્ઞાનસૂર્ય ઊગ્યો નથી એટલે અંધારું છે.
જેમ તે માણસના હાથમાં રત્નભરેલી થેલી આવી, તેમ તમને આ સંસારમાં ઘણી-ઘણીવાર રત્નચિંતામણિ જેવા મનુષ્ય-અવતાર મળ્યા. પણ તે મનુષ્ય-અવતારમાં શું કરવા જેવું છે–તેના ભાન વિના, બેભાનપણે વિષયકષાયોની રમતમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com