________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : જૈન ધર્મની વાર્તાઓ સાથે બેસીને મુનિનો ઉપદેશ સાંભળ્યો હતો ને જાતિસ્મરણજ્ઞાન પામ્યા હતા. ત્યાર પછી બીજા ભવમાં ભોગભૂમિમાં આત્મજ્ઞાન કરીને તેઓ બન્ને, ઋષભદેવ ભગવાનના પુત્રો થઈને મોક્ષમાં ગયા. આપણે પણ હવે મિત્રપણે સાથે રહીશું ને ભેદજ્ઞાન કરીને ભગવાન થઈશું.
વાંદરાની વાત સાંભળીને સિંહ બહુ ખુશી થયો; તેણે હિંસકભાવ છોડી દીધા, શાંતભાવ પ્રગટ કરીને ભેદજ્ઞાન કર્યું અને તે સિંહ તથા વાંદરો એકબીજાના સાધર્મી મિત્રો બની ગયા.
O) 99
બંદુક અને અહિંસા બંદૂક કે બોમ્બના પ્રહાર પણ અહિંસક જીવને ડગાવી નથી શકતા; બંદૂકની તાકાત કરતાં અહિંસાની તાકાત ઘણી મહાન છે. જીવોને શાંતિ અહિંસામાંથી મળશે, બંદૂક કે બોમ્બ વડે નહીં.
આત્માની શાંતિ તે જ સાચી ક્રાંતિ છે. જેમાં શાંતિ ન મળે એ ક્રાંતિ નથી, એ તો ભ્રાન્તિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com