________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : જૈન ધર્મની વાર્તાઓ
હવે થોડા સમય બાદ ફરી એકવાર એવું બન્યું કે પહેલાંની જેમ જ તે વનમાં ઝાડ પર વાંદરો બેઠો હતો, ને ભૂખ્યો સિંહ આવ્યો. સિંહને એમ થયું કે નીચે છાયા હાલતી ચાલતી દેખાય છે તે જ વાંદરો છે. એટલે તેણે તો તે પડછાયા ઉપર પંજા મારવા માંડ્યા! પંજા મારી મારીને થાક્યો, પણ તે સિંહના હાથમાં તો કાંઈ ન આવ્યું. જેમ પૈસામાં ઝાવાં મારી મારીને થાકે તોપણ જીવને જરાય સુખ મળતું નથી, તેમ સિંહે ઘણાં ઝાવાં માર્યા પણ તેના હાથમાં કાંઈ ન આવ્યું.
ત્યારે ઝાડ ઉપર બેઠેલા વાંદરાએ કહ્યું કે અરે સિંહરાજ! જેમ અત્યારે તમે મૂર્ખાઈ કરી રહ્યા છો તેમ પૂર્વે તમારા દાદાએ પણ એવી મૂર્ખાઈ કરીને પ્રાણ ખોયા હતા. જેમ તમે મારી છાયાને જ વાંદરો સમજીને તેના ઉપર પંજો મારી રહ્યા છો તેમ પૂર્વે તમારા એક સિંહદાદાએ કૂવામાં પોતાની છાયા દેખીને તેને જ સાચો સિંહ માની લીધો ને તેની સાથે લડવા કૂવામાં ઝંપલાવીને ડૂબી મર્યા.
- સિંહ કહેઃ “અરે વાંદરાજી! જેમ મારા દાદાએ ભૂલ કરી હતી તેમ તારા દાદાએ પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com