________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૯ તમારા જેવો બીજો એક સિંહ આવ્યો છે, તે કહે છે કે વનનો રાજા હું છું, તમે નહિ.
ત્યારે તે સિહે ક્રોધથી કહ્યુંઃ અરે, મારી સત્તાની ના પાડનાર વળી બીજો સિંહ કેવો? ચાલ, બતાવ ! એ કયાં રહે છે? એટલે એની ખબર લઉં!
ત્યારે વાંદરાએ કહ્યું: કાકા, સામેના કૂવામાં તે સિવું રહે છે.
બસ, સિંહ તો દોડ્યો... ને કૂવામાં જોયું તો પોતાના જેવો જ સિંહુ દેખાયો હતી તો તે પોતાની જ છાયા, એ કાંઈ સાચો સિંહ ન હતો. પણ મૂરખો તેને જ બીજ સાચો સિંહુ સમજીને, ક્રોધથી અંધ થઈને, તેને મારવા કૂવામાં પડયો ને અંતે તે મૂરખ સિંહુ કૂવામાં ડૂબી મૂઓ.
આ રીતે સિંહ અને વાંદરાની જેમ અજ્ઞાની જીવો આ છાયા જેવા શરીરને પોતાનું માનીને સંસારમાં જન્મ-મરણ કર્યા કરે છે, ને ભવના કૂવામાં પડીને દુઃખી થાય છે. -પણ જો સાચું જ્ઞાન કરે, ને શરીરથી જુદું પોતાનું સ્વરૂપ જાણે તો તેને જન્મ-મરણ થાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com