________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : જૈન ધર્મની વાર્તાઓ ખાને ખબર નથી કે પંજો તો છાયા ઉપર પડયો છે. પોતે તો છાયાથી જુદો (ઝાડ ઉપર) સલામત બેઠો છે. -જુઓ, અજ્ઞાનને લીધે છાયાને પોતાની માનીને મૂરખ વાંદરે પ્રાણ ખોયા.
તેમ જીવની છાયા જેવું આ જડ શરીર, તેના ઉપર રોગાદિ થતાં કે મૃત્યરૂપી સિંહનો પંજો પડતાં, વાંદરાની જેમ મૂરખ અજ્ઞાની જીવ પોતાનું જ મરણ સમજીને ભયભીત થાય છે કે હાય ! હું મરી ગયો, હાય મને રોગ થયો.
પણ ભાઈ, એ તો બધું શરીરમાં છે, તારામાં નહીં. તું તો શરીરથી જુદો અરૂપી-શાશ્વત ચૈતન્યમૂર્તિ છો; ચૈતન્યના ઊંચા ઝાડ ઉપર તારો આત્મા સલામત છે, તારું ચૈતન્યજીવન સલામત છે, તને કોઈ મારી શકે નહીં.
આ રીતે આ ચિત્ર એવો બોધ આપે છે કે “હું જીવ! તું શરીરથી ભિન્ન આત્માને જાણીને નિર્ભય થા! આત્માનું મરણ જ નથી પછી ભય કેવો?”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com