________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[ અધ્યાય : ૨
મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ, અને વૈનયિક મિથ્યાત્વ.
૩૧૧ પ્ર. એકાન્તિક મિથ્યાત્વ કોને કહે છે ?
ઉ. પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને સર્વથા એકજ ધર્મવાળો માનવો તે. જેમકે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે.
૩૧૨ પ્ર. વિપરીત મિથ્યાત્વ કોને કહે છે ?
ઉ. આત્માનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊધું માને તેને એટલે કે તેથી ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે; જેમકે શરીરને આત્મા માને, સગ્રંથને નિગ્રંથ માને, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માને.
૩૧૩ પ્ર. સાંશયિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પ૨વસ્તુના કાર્યનો કર્તા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તે.
૩૧૪ પ્ર. અજ્ઞાનિક મિથ્યાત્વ કોને કહે છે ?
ઉ. જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્દભાવ ન હોય, તેને અજ્ઞાનિમિથ્યાત્વ કહે છે. જેમકે-પશુ વધને
અથવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com