________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૬૯ ઉ. ચાર ભેદ છે-દ્રવ્યબંધનું નિમિત્તકારણ, દ્રવ્યબંધનું ઉપાદાન કારણ, ભાવબંધનું નિમિત્ત કારણ અને ભાવબંધનું ઉપાદાન કારણ. ૨૯૧ પ્ર. કારણ કોને કહે છે?
ઉ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. ૨૯૨ પ્ર. કારણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ- એક સમર્થ કારણ અને બીજું અસમર્થ કારણ. ૨૯૩ પ્ર. સમર્થ કારણ કોને કહે છે?
ઉ. પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓના સદભાવને સમર્થ કારણ કહે છે. સમર્થ કારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે. ૨૯૪ પ્ર. અસમર્થ કારણ કોને કહે છે?
ઉ. ભિન્નભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ કહે છે. અસમર્થ કારણ કાર્યનું નિયામક નથી. ૨૯૫ પ્ર. સહકારી સામગ્રીના કેટલા ભેદ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com