________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) ]
[ અધ્યાય : ૫ ઉ. નામનિક્ષેપમાં મૂળ પદાર્થની માફક સત્કાર આદિકની પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ સ્થાપનાનિક્ષેપમાં હોય છે. જેમકે-કોઈએ પોતાના છોકરાનું નામ પાર્શ્વનાથ રાખ્યું છે, તો તે છોકરાનો સત્કાર પાર્શ્વનાથની માફક થતો નથી, પરંતુ પાર્શ્વનાથની પ્રતિમાનો સત્કાર થાય છે. ૬૬૭ પ્ર. દ્રવ્યનિક્ષેપ કોને કહે છે?
ઉ. જે પદાર્થ ભવિષ્યના પરિણામની યોગ્યતા રાખવાવાળો હોય તેને દ્રવ્યનિક્ષેપ કહે છે-જેમકે રાજાના પુત્રને રાજા કહેવો. ૬૬૮ પ્ર. ભાવનિક્ષેપ કોને કહે છે?
ઉ. વર્તમાનપર્યાયસંયુક્ત વસ્તુને ભાવનિક્ષેપ કહે છે. જેમકે રાજ્ય કરતા પુરુષને રાજા કહેવો.
ઈતિ પંચમોડધ્યાયઃ સમાસ:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com