________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૮) શ્રદ્ધા (સમ્યકત્વ) ગુણ છે; સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન તેના પર્યાયો છે] પ્ર. ૧૬૬-ચારિત્ર ગુણ કોને કહે છે? ઉ. નિશ્ચયસમ્મદર્શન સહિત સ્વરૂપમાં ચરવું-રમવું, પોતાના
સ્વભાવમાં અકષાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. તે ચારિત્ર, મિથ્યાત્વ અને અસ્થિરતા રહિત અત્યંત * નિર્વિકાર એવો જીવનો પરિણામ છે, અને એવા
પર્યાયોને ધારણ કરનાર ગુણને ચારિત્રગુણ કહે છે. પ્ર. ૧૬૭-સુખગુણ કોને કહે છે? ઉં. નિરાકુલ આનંદસ્વરૂપ આત્માના પરિણામવિશેષને સુખ કહે છે, અને તે પર્યાય ધારણ કરનાર ગુણને સુખગુણ કર્યું છે.
સુખ અથવા આનંદ નામનો આત્મામાં અનાદિઅનંત એક ગુણ છે. તેનું સમ્યક્રપરિણમન ચાલુ થતાં મન, ઇન્દ્રિયો અને તેના વિષયોથી નિરપેક્ષ પોતાના આત્માશ્રિત નિરાકુળતા લક્ષણવાળું સુખ ઉત્પન્ન થાય છે. તેના કારણરૂપ શક્તિ તે સુખગુણ છે.
* એવા પરિણામોને સ્વરૂપસ્થિરતા, નિશ્ચલતા, વીતરાગતા, સામ્ય, ધર્મ અને ચારિત્ર કહે છે. જ્યારે આત્માને ચારિત્રગુણનો એવો શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બાહ્ય અને આત્યંતર ક્રિયાનો યથાસંભવ (ભૂમિકાનુસાર) નિરોધ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com