________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૮)
ઉ. ના; કારણ કે
(૧) દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામનો ગુણ છે, તેથી તેના
કોઈ ગુણોની સંખ્યા કદી પણ વધતી કે ઘટતી નથી. (૨) દ્રવ્ય તથા ગુણો તો સદાય બધી હાલતોમાં પૂર્ણ
શક્તિવાળા જ રહે છે (૩) પોતાના કારણે ગુણના વર્તમાન પર્યાયમાં જ ફેરફાર (પરિણમન) થાય છે.
(૬) પ્રદેશત્વ ગુણ પ્ર. ૧૩૪-પ્રદેશત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય
તેને પ્રદેશત્વ ગુણ કહે છે. પ્ર. ૧૩૫-આત્માને સાકાર તથા નિરાકાર કેવી રીતે કહેવાય? ઉ. પ્રદેશત્વ ગુણના કારણે દરેક આત્માને પોતાનો અરૂપી
આકાર છે જ; પણ રૂપી આકાર નથી તે અપેક્ષાએ તે નિરાકાર કહેવાય છે. આત્માનો અરૂપી આકાર ઇન્દ્રિયગમ્ય નથી, એ અપેક્ષાએ નિરાકાર છે અને આત્માનો આકાર જ્ઞાનગમ્ય છે, તેથી તે આકારવાન છે.
(મોક્ષમાર્ગપ્રકાશક-પાનું. ૧૧૫)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com