SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૪૩) પ્ર. ૧૨૨-જીવ દ્રવ્યની ઉપર પ્રમાણેની મર્યાદા સમજવાથી શો લાભ ? ઉ. (૧) છયે દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયોની સ્વતંત્રતા જાણતાં પોતાનું ભલું-બૂરું પોતાથી પોતામાં જ થાય છે એવું યથાર્થ જ્ઞાન થાય છે. (૨) કોઈ પણ દ્રવ્યકર્મ અથવા કોઈ પરનાં દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવ આ જીવને લાભ કે નુકશાન કરી શકે નહિ એવો નિર્ણય થાય; (૩) હું સ્વતંત્ર જ્ઞાન-આનંદ સ્વભાવી પદાર્થ છું અને જગતના સમસ્ત પદાર્થ મારાથી ત્રિકાળ ભિન્ન છેએવી ભેદજ્ઞાનરૂપ જ્યોતિનો ઉદય થાય. તે જ સમ્યગ્નાન-દર્શનરૂપ ધર્મ છે. પ્ર. ૧૨૩-બહારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ અનુસાર પર્યાય બદલાય છે એમ માનવામાં શો દોષ? ઉ. બે દ્રવ્યોને જુદાં-જુદાં સ્વતંત્ર ન માન્યાં અને દ્રવ્યમાં અગુરુલઘુત્વ- ગુણ ન માન્યો. આથી દ્રવ્યનો પણ નાશ થાય વગેરે દોષો આવે છે. પ્ર. ૧૨૪-છયે દ્રવ્યો તથા તેમના ગુણ-પર્યાયની સ્વતંત્રતાની મર્યાદા કયા ગુણથી છે? ઉ. અગુરુલઘુત્વ ગુણથી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy