________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૫) હોય, તેથી દ્રવવાપણું દ્રવ્યત્વગુણથી છે; (દ્રવ્ય પોતે) દ્રવીને ગુણ-પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે, તેથી ગુણપર્યાયનું પ્રગટ કરવાપણું દ્રવ્યત્વગુણથી છે. માટે દ્રવ્યત્વ (ગુણ) ની વિવક્ષાથી ‘દ્રવ્યત્યયોર્ દ્રવ્યમ્'-દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે.દ્રવ્ય, ગુણ- પર્યાયોને દ્રવે છે, ગુણપર્યાયો, દ્રવ્યને દ્રવે છે, તેથી તેઓ “દ્રવ્ય” એવું નામ પામે છે....પોતાના સ્વભાવરૂપે દ્રવ્ય સ્વત: પરિણમે છે તેથી (તે) સ્વતઃ સિદ્ધ કહેવાય છે.
[ આ રીતે “સત્તા” , “ગુણપર્યાયવાળું', “ગુણોના સમુદાય' “દ્રવ્યત્વનો સંબંધ” વગેરે લક્ષણો પ્રમાણ છે. તેમાંથી કોઈ એકને જ્યારે મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે બાકીનાં લક્ષણો પણ તેમાં ગર્ભિતપણે આવી જ જાય છે એમ જાણવું.]
(ચિદ્ર વિલાસ-ગુ. આવૃત્તિ, પાનું ૩). વિશેષાર્થ
(૧) “અહીં મુખ્યતાથી દ્રવ્યનાં લક્ષણનો વિચાર કરવામાં આવ્યો છે. એમ કરતાં ગ્રંથકારે વિવિધ આચાર્યોના અભિપ્રાય અનુસાર ત્રણ લક્ષણો કહ્યાં, પ્રથમ લક્ષણમાં દ્રવ્યને ગુણ-પર્યાયવાળું બતાવ્યું છે; વાત એ છે કે પ્રત્યેક દ્રવ્ય, અનન્ત ગુણોના અને ક્રમથી થવાવાળા તેમના પર્યાયોનો પિંડમાત્ર છે. એનો અર્થ એ છે કે જેનાથી ધારામાં (પ્રવાહમાં) એકરૂપતા બની રહે છે તે ગુણ છે અને જેથી તેમાં ભેદ પ્રતીત થાય છે તે પર્યાય છે. જીવમાં જ્ઞાનની ધારાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com