________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૩) છે, પણ કુંભારને, ચાકને, દોરીને કે બીજા કોઈ પર દ્રવ્યને તે માટી સ્પર્શતી નથી, અને કુંભાર પણ હાથના હલનચલનરૂપ પોતાની અવસ્થાનો જે ઉત્પાદ થયો તે ઉત્પાદને સ્પર્શે છે, પણ પોતાથી બહાર એવા ઘડાને તે કુંભાર સ્પર્શતો નથી.
જગતમાં કે દ્રવ્યો એક જ ક્ષેત્રે રહેલાં હોવા છતાં કોઇ દ્રવ્ય બીજા દ્રવ્યના સ્વભાવને સ્પર્શતું નથી, પોતપોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવતારૂપ સ્વભાવમાં જ દરેક દ્રવ્ય વર્તે છે એટલે પોતાના સ્વભાવને જ તે સ્પર્શે છે. જુઓ, આ સર્વજ્ઞદવે કહેલું વીતરાગી ભેદજ્ઞાન! નિમિત્ત-ઉપાદાનનો ખુલાસો પણ આમાં આવી જાય છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્ને પદાર્થો એક સાથે વર્તતા હોવા છતાં ઉપાદાનરૂપ પદાર્થ પોતાના ઉત્પાદવ્યય-ધ્રુવતારૂપ સ્વભાવને જ સ્પર્શે છે, નિમિત્તને તે જરા પણ સ્પર્શતો નથી; તેમજ નિમિત્તભૂત પદાર્થ પણ તેના પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવતારૂપ સ્વભાવને જ સ્પર્શે છે, ઉપાદાનને તે જરા પણ સ્પર્શતું નથી. ઉપાદાન અને નિમિત્ત-બન્ને જુદાદા પોતપોતાના સ્વભાવમાં જ વર્તે છે.
અહો! પદાર્થોનો આ એક ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વભાવ બરાબર ઓળખે તો ભેદજ્ઞાન થઈને સ્વ-દ્રવ્યના જ આશ્રયે નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય ને મલિનતાનો વ્યય થાય. તેનું નામ ધર્મ છે, ને તે જ સર્વજ્ઞ ભગવાનના સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.' (વીર સં. ૨૪૮૧, આસો માસનો “આત્મધર્મ' નો અંક
(પાના ૩૦૧-૩૦રમાંથી ઉદ્દધૃત)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com