________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૬ ) છે”—એવી જેને પ્રતીત નથી તે જીવ ભોગહેતુ ધર્મને એટલે કે પુણ્યને જ શ્રદ્ધ છે; ચૈતન્યના નિર્વિષય સુખનો તેને અનુભવ નથી એટલે ઊંડાણમાં તેને ભોગનો જ હેતુ પડ્યો છે.
* સર્વજ્ઞત્વપણે પરિણમવાની આત્માની જ શક્તિ છે તેનો આશ્રય કરવાને બદલે, નિમિત્તના આશ્રયે જ્ઞાન ખીલે, એમ જે માને છે તેને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ ટળી નથી. નિમિત્ત અને વિષયો અને એક છે. નિમિત્તના આશ્રયથી લાભ માનનાર કે વિષયોમાં સુખ માનનાર-એ બન્નેની એક જ વાત છે; તેઓ આત્મસ્વભાવનો આશ્રય કરીને ન પરિણમતાં સંયોગનો આશ્રય કરીને જ પરિણમી રહ્યા છે. ભલે શુભભાવ હો તો પણ તેમને વિષયોની રુચિ ટળી નથી ને સ્વભાવના અતીન્દ્રિયસુખની રુચિ થઈ નથી; તેઓએ પોતાના આત્માને નહિ પણ વિષયોને જ ધ્યેયરૂપ બનાવ્યા છે.
* પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવ સિવાયના બધાય પદાર્થો પર વિષયો છે. તેમના આશ્રયથી જે લાભ માને તેને પરવિષયોની પ્રીતિ છે. જે પોતાના સ્વભાવની પ્રતીત કરે તેને કોઈ પર વિષયોમાં સુખબુદ્ધિ રહેતી નથી.
* અહો! મારા આત્મામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે એમ જેણે પ્રતીત કરી તેણે તે પ્રતીત પોતાની શક્તિ સામે જોઈને કરી છે કે પર સામે જોઈને કરી છે? આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય બનાવીને થાય કે પરને ધ્યેય બનાવીને થાય ? કોઈ નિમિત્ત, રાગ કે અધૂરી પર્યાયના લક્ષે પૂર્ણ શક્તિની પ્રતીત થતી નથી પણ અખંડ સ્વભાવના લક્ષે જ પૂર્ણતાની પ્રતીત થાય છે. સ્વભાવના લક્ષે પૂર્ણતાની પ્રતીત કરનારને કયાંય પણ પરના આશ્રયથી લાભની બુદ્ધિ રહેતી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com