________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬] થાય છે કે નૈમિત્તિકે પોતે પોતાથી કાર્ય કર્યું તેમાં નિમિત્તે કાંઈ કર્યું નથી એટલે કે નિમિત્ત છે ખરું પણ તેણે નૈમિત્તિકનું કાંઇ કર્યું નથી એમ નક્કી કરવામાં ન આવે તો એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ હોવાનું ખરેખર માન્ય ગણી શકાય નહિ.
મુખ્ય વિષયો સંબંધી યોગ્ય માર્ગદર્શન આ પ્રસ્તાવનામાં સંક્ષેપ ને સ્પષ્ટતાથી કરવામાં આવેલ છે, એટલું દર્શાવ્યા પછી નમ્રભાવે જણાવવાનું કે આ પ્રશ્નોત્તરમાળા માત્ર વાંચી જવાથી તત્ત્વનું યથાર્થ જ્ઞાન થઇ શકે નહિ પરંતુ તેનું યથાર્થ જ્ઞાન કરવા માટે જ્ઞાનીઓ પાસેથી ઉપદેશ સીધો સાંભળવો જોઇએ અને તેટલા માટે જિજ્ઞાસુઓએ પરમ પૂજ્ય કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના આધ્યાત્મિક વ્યાખ્યાનોનો પ્રત્યક્ષ લાભ લેવો જોઈએ. એવો લાભ લેવામાં આવે તો આત્માને વિશેષ લાભનું કારણ થશે. ૭. આભારદર્શન
આ પુસ્તક તૈયાર કરવામાં બ્ર. ચંદુભાઈ, બ્ર. ગુલાબચંદભાઈ શ્રી હીરાચંદભાઈ વગેરે જે જે સ્વધર્મી બંધુઓએ ખાસ કરીને ભાઈશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી B. A. Hons. S. T. ૮. સોનાસણવાળાએ-ઘણી સેવા આપી છે; તે સર્વનો આભાર માનું છું.
દશલક્ષણીપર્વ
વીર સં. ૨૪૮૬ રામજી માણેકચંદ દોશી પ્રમુખ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com