________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮૭
પરમાત્મા ]
હે યોગી! સર્વજ્ઞ પરમેશ્વરે અથવા સંતોએ કહ્યું છે કે તું કેવળજ્ઞાનસ્વભાવી આત્માને જાણ! કેવળજ્ઞાનસ્વભાવી એટલે કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. પણ એકલો જ્ઞાનસ્વભાવ તેમાં સર્વજ્ઞસ્વભાવ આવી ગયો. આત્મા આખો જ્ઞાનસ્વરૂપ છે તેને જાણ !
આત્મા દેહથી ભિન્ન એકલી કેવળજ્ઞાનની મૂર્તિ છે-એમ ભાન થવું જોઈએ. દેહ કહેતાં રાગાદિ બધાં પરમાં જાય છે. એકલો ચૈતન્યસ્વરૂપ પ્રભુ કેવળજ્ઞાન સ્વભાવનો ધરનાર-રાગનો ધરનાર નથી પણ જાણનસ્વભાવી છે.
હવે જો મોક્ષનો લાભ ચાહતો હો, અર્થાત્ નિર્મળ આનંદની પૂર્ણ પર્યાયની પ્રાતિને ઈચ્છતો હો-પૂર્ણ પવિત્રતા પ્રગટાવવી હોય તો તે કેવળજ્ઞાનસ્વભાવી આત્માને તું જાણ! અનુભવ કર! એકલા જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવાથી તેને મુક્તિ મળશે. આત્માને જાણવાનું કહેતાં તેમાં પ્રતીત, સ્થિરતા ને આનંદનો અંશ આદિ બધું આવી જાય છે. “જાણ '! જાણવામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આખો મોક્ષમાર્ગ આવી ગયો. કેવળજ્ઞાનસ્વભાવી કેમ કહ્યો? કે જ્ઞાનગુણમાં જ બીજા અનંત ગુણોનો પ્રતિભાસ થાય છે. તે જ્ઞાનથી જ બીજા ગુણોનું ભાન થાય છે પણ બીજા ગુણોના ભાનથી તેનું જ્ઞાન થાય છે એમ નથી. બીજા ગુણો અસ્તિત્વ રાખે છે પણ તેઓ બીજા ગુણોને જાણતા નથી અને પોતે પોતાને પણ જાણતાં નથી. જ્યારે જ્ઞાનગુણ તો એવો છે કે પોતાને જાણે છે ત્યારે બીજા બધા ગુણો આવા છે એમ જાણી લે છે. આનંદનો અનુભવ થાય પણ જાણે છે તો જ્ઞાન કે આ આનંદનો અનુભવ છે. તેમ સમ્યગ્દર્શન પોતાને નથી જાણતું પણ જ્ઞાન જાણે છે કે આ સમ્યગ્દર્શન છે. દરેક આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. જ્ઞાન કહેતાં દરેક ગુણનું જ્ઞાન આવી ગયું.
આમાં અમારે ક્રિયા શું કરવી?–આ જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેમ જાણવું તે ક્રિયા નથી? પણ બહારમાં કોઈ ફેરફાર દેખાતો નથી. પરંતુ આત્મા જ ક્યાં બહારમાં છે કે જેથી બહારમાં ફેરફાર દેખાય? શું કહ્યું? વાણી-શરીરમાં આત્મા નથી તો તેનો ફેરફાર બહારમાં ક્યાંથી દેખાય? જ્ઞાનસ્વરૂપી આત્મા એનો ફેરફાર તો એ ક્યાં છે ત્યાં દેખાય એની ક્રિયાનો પલટો એની દશામાં દેખાય. બહારની ક્રિયાથી એ ન જણાય-એનું માપ ન આવે. જ્ઞાની બહારની ક્રિયામાં લડાઈમાં લડતો દેખાય, પણ અંદરમાં તો રાગનું સ્વામીપણું છોડી આત્માનું સ્વામીપણું કરીને બેઠો છે. જ્યારે અજ્ઞાની બહારમાં બધાં સંયોગો છોડી દે છે છતાં અંદર બધાનું સ્વામીપણું તો પડયું છે. તેથી તે બધાં સંયોગોની વચ્ચે જ બેઠો છે, કાંઈ છૂટયું નથી. તેથી કહે છે કે હે જીવ! જો તું શિવલાભ ઈચ્છતો હોય તો કેવળજ્ઞાનસ્વભાવી આત્મતત્ત્વને જાણ.
को [ ? ] सुसमाहि करउ को अंचउ छोपु-अछोपु करिवि को वंचउ । हल सहि कलहु केण समाणउ जहिं कहिं जोवउ तहिं अप्पाणउ ।। ४०।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com