________________
૫૨માત્મા]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પ્રવચન નં. ૧૦]
જો તને પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષની ઈચ્છા હોય તો, રાત-દિવસ એક નિજ ૫૨માત્માનું જ મનન કર
[૫૭
[શ્રી યોગસા૨ ઉ૫૨ ૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૬-૬-૬૬ ]
શ્રી યોગીન્દ્રદેવ કૃત આ યોગસાર શાસ્ત્ર છે. તેમાં આપણે ૨૩ મી ગાથા ચાલી
રહી છે:
सुद्ध-पएसहं पूरियउं लोयायास-पमाणु ।
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।। २३ ।। શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશ
પ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લો નિર્વાણ. ૨૩.
ભગવાન આત્મા આ દેહમાં પોતાના શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે; એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ કહે છે, એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા છે તેથી તે પરિપૂર્ણ છે. દેહ-વાણી-મન-કર્મ ને વિકારનું ક્ષેત્ર જુદું છે. અસંખ્ય પ્રદેશી પરિપૂર્ણ પ્રભુ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોથી ભરેલો પરિપૂર્ણ છે, એવા આત્માને આત્મા જાણ અને એવા આત્માનું દિન-રાત મનન કર.
અસંખ્ય પ્રદેશમાં અહીં જ બિરાજમાન ભગવાન આત્માનું દિન-રાત મનન કરો. ભગવાન આત્મા લોકવ્યાપક નથી પરંતુ તેનું ક્ષેત્ર અહીં પરિપૂર્ણ શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં જ પૂરું છે, એનાથી વધારે લાંબુ બીજું કોઈ ક્ષેત્ર નથી. કોઈ લોકવ્યાપક કહે ને કોઈ અનંતમાં અનંત ભળી જાય કે બધા આત્મા એકના અંશરૂપ છે-એમ નથી. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશોમાં પરિપૂર્ણ ભરેલો છે. એવા આત્માનું દિન રાત મનન કરો એટલે કે તેનો અનુભવ કરો.
આત્મા અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશ, તેને અનુસરીને રાતદિન અનુભવ ક૨વો, આત્માની શાંતિનું વેદન કરવું-એનું નામ ધર્મ ને મોક્ષમાર્ગ છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશના પૂરથી ભરેલો પૂરો છે, તેનો અનુભવ કરવાથી શીઘ્ર નિર્વાણને પ્રાસ કરો એટલે કે આ ઉપાય દ્વારા શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત કરો; એ સિવાય મન-વચનની ક્રિયા આદિ બીજા કોઈ ઉપાય વડે નિર્વાણ પ્રાપ્ત થાય તેમ નથી.
પોતાના સ્વરૂપને ભૂલે તો બંધ થાય છે ને પોતાના સ્વરૂપની સાવધાની કરે તો મુક્તિ થાય છે, એ સિવાયની બીજી બધી તો વાતો છે! પોતાનો અસંખ્ય પ્રદેશી અનંત ગુણોથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com