________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨માત્મા ]
[૪૩
બિરાજે છે તેનો આદર ન કરતાં પુણ્ય ને પાપ મેલ-ભિખારી જેવા વિકારને શરીરાદિનો સત્કાર કરે!!
જિન સમરો–ભગવાન આત્મા ચૈતન્યપ્રભુ ઉપાદેય છે ને રાગાદિ મેલ હૈય છે એમ જેને પહેલાં સમ્યજ્ઞાનમાં વિવેક પ્રગટયો છે તે જિનેન્દ્રનું સ્મરણ કરે છે. બહારની હોળીના સ્મરણ કરે છો તેના કરતાં સમીપમાં ચિદાનંદપ્રભુ બિરાજે છે તેનું સ્મરણ કર ને! એનું સ્મરણ કરતાં એ પ્રગટ થાય એવો છે. માટે અંદર જે રાગ ને પુણ્યભાવ આવે એને યાદ ન કર! ઝેરને યાદ કરવા જેવા નથી, છોડી દે લક્ષમાંથી! પવિત્ર પ્રભુ ભગવાન આત્મા છે તેનું સ્મરણ કરવા જેવું છે, તે તને હિતનું કારણ છે.
અહો ! હું જ તીર્થંકર છું, હું જ જિનવર છું, મારામાં જ જિનવર થવાના બીજડાં પડયા છે. પરમાત્માનો એટલો ઉલ્લાસ...કે જાણે પરમાત્માને મળવા જતો હોય ! પરમાત્મા બોલાવતા હોય કે આવો.......આવો.......ચૈતન્યધામમાં આવો ! આહાહાહા ! ચૈતન્યનો એટલો આહ્લાદ જ હોય ! ચૈતન્યમાં એકલો આહ્લાદ જ ભર્યો છે. એનો મહિમા, માહાત્મ્ય ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશે આવવો જોઈએ - પૂજ્ય ગુરુદેવશ્રી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com